બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ
12 views
Content
4 of 5
અડસઠ તીરથ
Original
1 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
જૂનાગઢમાં અન્નકૂટના ઉત્સવ પછી રસોઈના બધાં એંઠા વાસણો પ્રાગજી ભક્ત ઊટકતા હતા. તે એંઠવાડનું બધું પાણી ચોકડીની બાજુમાં એક મોટી કૂંડીમાં ભેગું થતું હતું. એટલામાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં કૂંડી પાસે આવીને ઊભા રહ્યા. કૂંડીમાં પડતા એંઠવાડના પાણીનો સ્વામીના ચરણને સ્પર્શ થતો હતો. સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું, “અલ્યા પ્રાગજી! અડસઠ તીરથ ક્યાં હશે?”
ભગતજી સ્વામીના આ પ્રશ્નનો મર્મ સમજી ગયા. તેમણે જોયું કે સ્વામીના ચરણના સ્પર્શવાળું પાણી કૂંડીમાં પડે છે. ‘અડસઠ તીરથ મારા સંતને ચરણે...’ એ પ્રતીતિ સાથે ભગતજીએ તરત જ એંઠવાડની કૂંડીમાં ઝંપલાવ્યું. એંઠવાડના પાણીને પોતાના શરીર ઉપર નાખી-નાખીને આનંદથી નહાવા લાગ્યા!
અન્ય સૌ કોઈ તો પ્રાગજીની આ લીલાને આશ્ચર્યવત્ નિહાળી રહ્યા. કેટલાકે કહ્યું, “પ્રાગજી તો ગોબરો છે, ગંદો છે. એંઠવાડનુંય ભાન નથી.”
સત્પુરુષના મહિમાથી અજાણ આવા અજ્ઞાની લોકોને જોઈ સ્વામી હસવા લાગ્યા અને કહ્યું, “સાચો મહિમા જ્યારે જીવમાં ઊતર્યો હોય ત્યારે જ આમ થાય.” પછી પ્રાગજી ભગતને કહ્યું, “પ્રાગજી! હવે બસ થયું. ચોખ્ખા પાણીથી નાહી લે. આવો અવસર ફરી મળે એવો નથી, તે તેં લઈ લીધો.”
આવી હતી ભગતજી મહારાજની મહિમાદૃષ્ટિ! જ્યારે આવી મહિમાદૃષ્ટિ સત્પુરુષની પ્રત્યેક ક્રિયામાં હોય ત્યારે ઇન્દ્રિયો-અંત:કરણના આવરણ ભેદાઈ જાય છે અને એક સત્પુરુષ સિવાય બીજું કાંઈ રહેતું નથી. સત્પુરુષનો આવો અપાર મહિમા સમજવાથી જ તેમના વિષે આપણી પ્રીતિ વધતી જાય છે. (વચનામૃત વરતાલ ૧૧)
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!