પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
2 views
Content
1 of 12
ગુરુ વચને ચૂરે ચુરા
Original
2 views
Versions:
Original
એક વાર યોગીજી મહારાજ ગોંડલમાં હતા. તે દરમ્યાન ઉકરડો સાફ કરવાની સેવાનું કાર્ય ચાલુ હતું. આ સેવામાં યોગીબાપાએ સંતોને જોડ્યા. સંતો બધા ટોપલાં ભરી-ભરી ઉકરડો ખટારામાં ઠાલવતા હતા. એવામાં યોગીબાપાએ મહંતસ્વામી મહારાજને યાદ કર્યા કે, ‘મહંતસ્વામી ક્યાં છે?’ કોઈએ કહ્યું, “એમને અત્યારે ૧૦૩ ડિગ્રી તાવ છે. એટલે આરામમાં છે.” યોગીબાપા કહે, “બોલાવો એમને. સેવા કરશે તો મટી જશે.”
ત્યાં ઉપસ્થિત કેટલાકને મનમાં થયું કે 'આવા સખત તાવમાં પણ યોગીબાપા કેમ સેવામાં બોલાવે છે? અને સેવા કરવાથી કાંઈ તાવ થોડો મટતો હશે!' પરંતુ આવા કોઈ વિચારો કર્યા વગર મહંતસ્વામી મહારાજ યોગીબાપાનો સંદેશો સાંભળી કથળતા શરીરે ઉકરડો ઉથાપવાની સેવામાં જોડાઈ ગયા અને બે કલાક સુધી સેવા કરી! ઉકરડો ઉથાપવા જેવી સેવા તો સાજા-સમા શરીરેય ન ગમે, ત્યારે આટલા તાવ-તૂટતા શરીરે આ સેવા મહંતસ્વામી મહારાજે કેવી રીતે કરી હશે!
આ પ્રસંગની સ્મૃતિ કરતાં એક વખત મહંતસ્વામી મહારાજે કહ્યું હતું: “યોગીબાપાએ કહ્યું હતું કે ‘સેવા કરવાથી તાવ મટી જશે’, છતાં તાવ તો મટ્યો જ નહિ! પણ તે સેવા યાદ રહી ગઈ.” મહંતસ્વામી મહારાજને યોગીબાપા પ્રત્યે શંકા પણ ઉદ્ભવી નથી કે 'બાપાએ કહ્યું હતું છતાં તાવ તો મટ્યો નહીં.' તેઓને કેવળ યોગીબાપાના રાજીપા સામી દૃષ્ટિ હતી.
આ રીતે ગુરુના એક વચને મહંતસ્વામી મહારાજે દેહના ચૂરેચૂરા બોલાવી દીધા છે. ગુરુને રાજી કરવાની આવી તત્પરતા જ્યારે આવે ત્યારે જ આપણા ઉપર તેઓની દૃષ્ટિ થાય છે અને આપણામાં તે દૃષ્ટિ ઝીલવાની ખરી પાત્રતા આવે છે.
ત્યાં ઉપસ્થિત કેટલાકને મનમાં થયું કે 'આવા સખત તાવમાં પણ યોગીબાપા કેમ સેવામાં બોલાવે છે? અને સેવા કરવાથી કાંઈ તાવ થોડો મટતો હશે!' પરંતુ આવા કોઈ વિચારો કર્યા વગર મહંતસ્વામી મહારાજ યોગીબાપાનો સંદેશો સાંભળી કથળતા શરીરે ઉકરડો ઉથાપવાની સેવામાં જોડાઈ ગયા અને બે કલાક સુધી સેવા કરી! ઉકરડો ઉથાપવા જેવી સેવા તો સાજા-સમા શરીરેય ન ગમે, ત્યારે આટલા તાવ-તૂટતા શરીરે આ સેવા મહંતસ્વામી મહારાજે કેવી રીતે કરી હશે!
આ પ્રસંગની સ્મૃતિ કરતાં એક વખત મહંતસ્વામી મહારાજે કહ્યું હતું: “યોગીબાપાએ કહ્યું હતું કે ‘સેવા કરવાથી તાવ મટી જશે’, છતાં તાવ તો મટ્યો જ નહિ! પણ તે સેવા યાદ રહી ગઈ.” મહંતસ્વામી મહારાજને યોગીબાપા પ્રત્યે શંકા પણ ઉદ્ભવી નથી કે 'બાપાએ કહ્યું હતું છતાં તાવ તો મટ્યો નહીં.' તેઓને કેવળ યોગીબાપાના રાજીપા સામી દૃષ્ટિ હતી.
આ રીતે ગુરુના એક વચને મહંતસ્વામી મહારાજે દેહના ચૂરેચૂરા બોલાવી દીધા છે. ગુરુને રાજી કરવાની આવી તત્પરતા જ્યારે આવે ત્યારે જ આપણા ઉપર તેઓની દૃષ્ટિ થાય છે અને આપણામાં તે દૃષ્ટિ ઝીલવાની ખરી પાત્રતા આવે છે.
0 comments
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!