પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
5 of 12
‘બીજા સ્વાદની જરૂર નથી’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મહંતસ્વામી મહારાજનું ભોજન એટલે સ્વાદ વિનાનું ભોજન. તેમાં ન તો મીઠું હોય કે ન કોઈ મસાલા. વર્ષોથી સ્વામીશ્રી બાફેલું, મરી-મસાલા વગરનું અને રોજ એકનું-એક જમતા આવ્યા છે. વર્ષોથી ભોજનમાં કોઈ પ્રકારની નવીનતા જ નહીં!
સન ૨૦૦૧માં નોર્થ અમેરિકાથી બાળકો-કિશોરો ભારતયાત્રાએ ગયા હતા. આ યાત્રા દરમ્યાન એક વાર બોચાસણમાં મહંતસ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા. ત્યારે દર્શન કરતાં બાળકોએ પૂછ્યું, “આપ શું જમો છો?”
પોતાના ભોજનપાત્ર(પત્તર)ની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મહંતસ્વામી મહારાજે પૂછ્યું, “ચાખવું છે?”
બાળકો રાજી થઈ ગયા. બાળકોના મનમાં હતું કે સ્વાદિષ્ટ વાનગી જમવા મળશે! મહંતસ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા એક બાળકને આપ્યું. રાજી થઈને હોંશે હોંશે તે બાળકે જેવું મોઢામાં મૂક્યું કે તરત જ ‘થૂ... થૂ...’ કરીને મોઢામાંથી કાઢી નાંખ્યું, કારણ કે તેમાં કોઈ સ્વાદ જ નહોતો.
બાળકે પૂછ્યું: “આપને આવું સાવ સ્વાદ વિનાનું મોળું કેવી રીતે ભાવે છે?”
મહંતસ્વામી મહારાજે ઉત્સાહથી કહ્યું, “યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે. એટલે બીજા સ્વાદની જરૂર નથી.”
આપણને સમયે-સમયે જમવામાં નવીનતા જોઈએ છે. પરંતુ મહંતસ્વામી મહારાજને એવો કોઈ વિચાર જ નથી આવતો! કોઈ જ ફરમાઈશ નહિ કે કોઈ ફરિયાદ નહિ! ‘રોજ એનું એ જ જમવાનું, એના એ જ ક્રમમાં જમવાનું ને એટલું જ જમવાનું.’ આ પ્રેક્ટિકલ નિ:સ્વાદીપણાનાં દર્શન મહંતસ્વામી મહારાજમાં થાય છે, કારણ કે તેઓ જમવાનો આનંદ નહીં, પરંતુ ભગવાનનો આનંદ લે છે. તેઓ કેવળ કોઠીમાં દાણા ભરે તેમ જમે છે, પણ સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લે છે.
સન ૨૦૦૧માં નોર્થ અમેરિકાથી બાળકો-કિશોરો ભારતયાત્રાએ ગયા હતા. આ યાત્રા દરમ્યાન એક વાર બોચાસણમાં મહંતસ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા. ત્યારે દર્શન કરતાં બાળકોએ પૂછ્યું, “આપ શું જમો છો?”
પોતાના ભોજનપાત્ર(પત્તર)ની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મહંતસ્વામી મહારાજે પૂછ્યું, “ચાખવું છે?”
બાળકો રાજી થઈ ગયા. બાળકોના મનમાં હતું કે સ્વાદિષ્ટ વાનગી જમવા મળશે! મહંતસ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા એક બાળકને આપ્યું. રાજી થઈને હોંશે હોંશે તે બાળકે જેવું મોઢામાં મૂક્યું કે તરત જ ‘થૂ... થૂ...’ કરીને મોઢામાંથી કાઢી નાંખ્યું, કારણ કે તેમાં કોઈ સ્વાદ જ નહોતો.
બાળકે પૂછ્યું: “આપને આવું સાવ સ્વાદ વિનાનું મોળું કેવી રીતે ભાવે છે?”
મહંતસ્વામી મહારાજે ઉત્સાહથી કહ્યું, “યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે. એટલે બીજા સ્વાદની જરૂર નથી.”
આપણને સમયે-સમયે જમવામાં નવીનતા જોઈએ છે. પરંતુ મહંતસ્વામી મહારાજને એવો કોઈ વિચાર જ નથી આવતો! કોઈ જ ફરમાઈશ નહિ કે કોઈ ફરિયાદ નહિ! ‘રોજ એનું એ જ જમવાનું, એના એ જ ક્રમમાં જમવાનું ને એટલું જ જમવાનું.’ આ પ્રેક્ટિકલ નિ:સ્વાદીપણાનાં દર્શન મહંતસ્વામી મહારાજમાં થાય છે, કારણ કે તેઓ જમવાનો આનંદ નહીં, પરંતુ ભગવાનનો આનંદ લે છે. તેઓ કેવળ કોઠીમાં દાણા ભરે તેમ જમે છે, પણ સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લે છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!