પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
8 of 12
‘તમારો જોડો અને મારું માથું’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૧૩મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજ અંતર્ધાન થયા બાદ સમગ્ર વિશ્વની નજર મહંતસ્વામી મહારાજ ઉપર હતી. કારણ કે વિશ્વવ્યાપી BAPS સંસ્થાના પ્રમુખ તરીકેની અને લાખો ભક્તોના ગુરુ તરીકેની જવાબદારી હવે તેઓના શિરે હતી. આ મહાન કાર્યભારથી અલિપ્ત સ્વામીશ્રીના વાણી, વર્તન અને વ્યવહાર સંસ્થાના એક સામાન્ય સંત જેવા જ હતા. એ જ સ્થિરતા અને સાધુતા સૌની નજરે ચડતી હતી.
આ અરસામાં સારંગપુરમાં એક ભક્તે મહંતસ્વામી મહારાજને વાત-વાતમાં હળવાશમાં કહ્યું: ‘પ્રમુખસ્વામી મહારાજ આપને આ જવાબદારી સોંપતા ગયા છે. સ્વામીબાપાએ જેટલું વિચરણ કર્યું એટલું આપે પણ કર્યું છે. સ્વામીબાપાએ સંતો-ભક્તોને રાજી કર્યા એ રીતે આપે પણ રાજી કર્યા છે. આ બે બાબતના તો અમે સાક્ષી છીએ, પણ હવે એક જ વસ્તુ જોવાની બાકી રહી કે પ્રમુખસ્વામી મહારાજનું ઐશ્વર્ય આપનામાં આવ્યું છે કે નહીં?’ આ જિજ્ઞાસાનો જવાબ વાળતાં મહંતસ્વામી મહારાજે કહ્યું: ‘મારા પંચવર્તમાનમાં કાંઈ ફેર હોય તો તમારો જોડો અને મારું માથું! બાકી મને ઐશ્વર્ય-ચમત્કારમાં ખબર પડે નહીં.’
પાંચ-પાંચ દાયકા ઉપરાંતના પોતાના સાધુજીવનમાં પંચવર્તમાનમાં લેશમાત્ર ફેર પડ્યો નથી, એવું ખાતરી સાથે ખોંખારીને કોણ કહી શકે? આવા નિષ્કલંક સાધુતાસંપન્ન પુરુષ માટે શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૨૬મા કહે છે કે, ‘પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.’ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતની પ્રાપ્તિ થઈ છે.
આ અરસામાં સારંગપુરમાં એક ભક્તે મહંતસ્વામી મહારાજને વાત-વાતમાં હળવાશમાં કહ્યું: ‘પ્રમુખસ્વામી મહારાજ આપને આ જવાબદારી સોંપતા ગયા છે. સ્વામીબાપાએ જેટલું વિચરણ કર્યું એટલું આપે પણ કર્યું છે. સ્વામીબાપાએ સંતો-ભક્તોને રાજી કર્યા એ રીતે આપે પણ રાજી કર્યા છે. આ બે બાબતના તો અમે સાક્ષી છીએ, પણ હવે એક જ વસ્તુ જોવાની બાકી રહી કે પ્રમુખસ્વામી મહારાજનું ઐશ્વર્ય આપનામાં આવ્યું છે કે નહીં?’ આ જિજ્ઞાસાનો જવાબ વાળતાં મહંતસ્વામી મહારાજે કહ્યું: ‘મારા પંચવર્તમાનમાં કાંઈ ફેર હોય તો તમારો જોડો અને મારું માથું! બાકી મને ઐશ્વર્ય-ચમત્કારમાં ખબર પડે નહીં.’
પાંચ-પાંચ દાયકા ઉપરાંતના પોતાના સાધુજીવનમાં પંચવર્તમાનમાં લેશમાત્ર ફેર પડ્યો નથી, એવું ખાતરી સાથે ખોંખારીને કોણ કહી શકે? આવા નિષ્કલંક સાધુતાસંપન્ન પુરુષ માટે શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૨૬મા કહે છે કે, ‘પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.’ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતની પ્રાપ્તિ થઈ છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!