પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
3 of 12
ઉતાવળિયો નિર્ણય ન લેવો
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
યોગીજી મહારાજે ૯ ભણેલા-ગણેલા નવયુવાનોને સાધુ દીક્ષા આપી હતી. શરૂઆતમાં આ સંતો કાંદિવલી-મુંબઈ રહેતા હતા. એક વખત બપોરના સમયે બધા સંતો જમવા માટે બેઠા હતા. તેવામાં એક વયોવૃદ્ધ ત્યાં આવ્યા. સંતોને જમતા જોઈ થોડી વાર ત્યાં ઊભા રહી ગયા.
આ બાજુ સંતોએ આ વયોવૃદ્ધને જોયા એટલે અંદરો-અંદર અટકળો ચાલુ કરી કે ‘બપોરનો સમય થયો છે એટલે ખાવા માટે આવ્યા છે.’ અને પછી તો આ વયોવૃદ્ધ શા માટે આવ્યા હશે તેનો નિર્ણય સૌએ પોત-પોતાની રીતે કરી લીધો. એમાંથી એક જણ બાકાત હતા – મહંતસ્વામી મહારાજ. તેઓ આ સમયે કંઈ પણ બોલ્યા નહિ કે કોઈના અભિપ્રાયમાં ભળ્યા પણ નહિ.
મહંતસ્વામી મહારાજ જમી રહ્યા પછી આ વયોવૃદ્ધ પાસે આવ્યા. થોડી વાતચીત કરી ત્યારે પેલા વયોવૃદ્ધે કહ્યું, “ભગવાન સ્વામિનારાયણે સંતોને પત્તરમાં જમવાની આજ્ઞા કરી છે. પરંતુ તેવાં દર્શન હજી સુધી મને થયા ન હતા. તેવામાં મેં સાંભળ્યું કે યોગીજી મહારાજે સંતો બનાવ્યા છે તે બધા પત્તરમાં જમે છે. એટલે સંતોને પત્તરમાં જમતાં દર્શન કરવા હું આવ્યો છું.”
જ્યારે મહંતસ્વામી મહારાજે અન્ય સંતોને આ વાત કરી ત્યારે સૌને સમજાયું કે આપણે તો અલગ-અલગ અભિપ્રાય બાંધી દીધા હતા, પરંતુ આ વયોવૃદ્ધ તો મહિમાથી કેવળ દર્શન કરવા માટે આવ્યા હતા.
ઘણી વખત કોઈની બાહ્ય પ્રકૃતિ-વર્તન જોઈને આપણે ઉતાવળિયો નિર્ણય લઈ લઈએ છીએ અને આપણી મનોધારણા અનુસાર તેના આખા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી તેનો અવગુણ લઈ બેસીએ છીએ. પરંતુ મહંતસ્વામી મહારાજે જેમ પ્રથમથી જ કોઈ ધારણા ન કરી લીધી અને પૂરેપૂરી તપાસ કરી મહિમા જાણ્યો, તેમ ઉતાવળિયો નિર્ણય કરી કોઈનો અવગુણ ન લેતાં સૌનો મહિમા સમજવો.
આ બાજુ સંતોએ આ વયોવૃદ્ધને જોયા એટલે અંદરો-અંદર અટકળો ચાલુ કરી કે ‘બપોરનો સમય થયો છે એટલે ખાવા માટે આવ્યા છે.’ અને પછી તો આ વયોવૃદ્ધ શા માટે આવ્યા હશે તેનો નિર્ણય સૌએ પોત-પોતાની રીતે કરી લીધો. એમાંથી એક જણ બાકાત હતા – મહંતસ્વામી મહારાજ. તેઓ આ સમયે કંઈ પણ બોલ્યા નહિ કે કોઈના અભિપ્રાયમાં ભળ્યા પણ નહિ.
મહંતસ્વામી મહારાજ જમી રહ્યા પછી આ વયોવૃદ્ધ પાસે આવ્યા. થોડી વાતચીત કરી ત્યારે પેલા વયોવૃદ્ધે કહ્યું, “ભગવાન સ્વામિનારાયણે સંતોને પત્તરમાં જમવાની આજ્ઞા કરી છે. પરંતુ તેવાં દર્શન હજી સુધી મને થયા ન હતા. તેવામાં મેં સાંભળ્યું કે યોગીજી મહારાજે સંતો બનાવ્યા છે તે બધા પત્તરમાં જમે છે. એટલે સંતોને પત્તરમાં જમતાં દર્શન કરવા હું આવ્યો છું.”
જ્યારે મહંતસ્વામી મહારાજે અન્ય સંતોને આ વાત કરી ત્યારે સૌને સમજાયું કે આપણે તો અલગ-અલગ અભિપ્રાય બાંધી દીધા હતા, પરંતુ આ વયોવૃદ્ધ તો મહિમાથી કેવળ દર્શન કરવા માટે આવ્યા હતા.
ઘણી વખત કોઈની બાહ્ય પ્રકૃતિ-વર્તન જોઈને આપણે ઉતાવળિયો નિર્ણય લઈ લઈએ છીએ અને આપણી મનોધારણા અનુસાર તેના આખા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી તેનો અવગુણ લઈ બેસીએ છીએ. પરંતુ મહંતસ્વામી મહારાજે જેમ પ્રથમથી જ કોઈ ધારણા ન કરી લીધી અને પૂરેપૂરી તપાસ કરી મહિમા જાણ્યો, તેમ ઉતાવળિયો નિર્ણય કરી કોઈનો અવગુણ ન લેતાં સૌનો મહિમા સમજવો.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!