પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
4 of 12
‘હું પધરામણીએ જાઉં’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સન ૧૯૯૦માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ નોર્થ અમેરિકાના વિચરણ અર્થે પધાર્યા હતા. મોટી સંખ્યામાં સંતો સાથે હોવાથી તેઓની વ્યવસ્થા અંગે સ્વામીશ્રીએ સ્વયં અમુક નિયમો ઘડ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજે સૌ સંતોને એવી આજ્ઞા કરી હતી કે, ‘જે કોઈ સંતને પધરામણી માટે કોઈ હરિભક્તના ઘરે જવું હોય તે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને જાણ કરી, તેઓની અનુમતિ લઈને જાય.’ આ યાત્રામાં મહંતસ્વામી મહારાજ પણ સાથે હતા.
યાત્રા દરમ્યાન ન્યૂ યોર્કમાં મહંતસ્વામી મહારાજની એક હરિભક્તના ઘરે પધરામણી ગોઠવાઈ. તેથી તેઓ પરવાનગી લેવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું: ‘હું પધરામણીએ જઉં?’ સદ્ગુરુ સંત મહંતસ્વામી તરફથી આ પ્રશ્ન પૂછાતાં જ્ઞાનેશ્વર સ્વામી તો છોભીલા જ પડી ગયા. તેઓએ ક્ષોભ સાથે સ્વામીશ્રીને જણાવ્યું કે, ‘સ્વામી! આ જાહેરાત આપના માટે નથી, બીજા સંતો માટે છે. આપ તો સદ્ગુરુ સંત છો. આપે મને ન પૂછવાનું હોય.’ ત્યારે મહંતસ્વામી મહારાજે કહ્યું કે, ‘સ્વામીબાપાએ આજ્ઞા કરી છે એટલે મારે પણ પાળવી તો પડે જ ને!’
પદ, મોભા કે સિનિયોરિટીનો ભાર વ્યક્તિને સહેજે આવી જાય. અન્ય કરતાં આપણે થોડા વિશેષ છીએ એવો સૂક્ષ્મ અહંકાર અંતરમાં ઘર કરી જાય. પરંતુ, અહીં મહંતસ્વામી મહારાજ સદ્ગુરુ હતા, છતાં પોતાને વિશેષ ન માનતા અન્ય સંતોની જેમ જ આજ્ઞા લેવા ગયા! નાનામાં નાની આજ્ઞા પાળવાનો કેવો ખટકો! આપણે પણ આવો ખટકો રાખી દાસભાવે નાની-મોટી તમામ આજ્ઞાઓ પાળીએ તો મોટા પુરુષ રાજી થઈ જાય.
યાત્રા દરમ્યાન ન્યૂ યોર્કમાં મહંતસ્વામી મહારાજની એક હરિભક્તના ઘરે પધરામણી ગોઠવાઈ. તેથી તેઓ પરવાનગી લેવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું: ‘હું પધરામણીએ જઉં?’ સદ્ગુરુ સંત મહંતસ્વામી તરફથી આ પ્રશ્ન પૂછાતાં જ્ઞાનેશ્વર સ્વામી તો છોભીલા જ પડી ગયા. તેઓએ ક્ષોભ સાથે સ્વામીશ્રીને જણાવ્યું કે, ‘સ્વામી! આ જાહેરાત આપના માટે નથી, બીજા સંતો માટે છે. આપ તો સદ્ગુરુ સંત છો. આપે મને ન પૂછવાનું હોય.’ ત્યારે મહંતસ્વામી મહારાજે કહ્યું કે, ‘સ્વામીબાપાએ આજ્ઞા કરી છે એટલે મારે પણ પાળવી તો પડે જ ને!’
પદ, મોભા કે સિનિયોરિટીનો ભાર વ્યક્તિને સહેજે આવી જાય. અન્ય કરતાં આપણે થોડા વિશેષ છીએ એવો સૂક્ષ્મ અહંકાર અંતરમાં ઘર કરી જાય. પરંતુ, અહીં મહંતસ્વામી મહારાજ સદ્ગુરુ હતા, છતાં પોતાને વિશેષ ન માનતા અન્ય સંતોની જેમ જ આજ્ઞા લેવા ગયા! નાનામાં નાની આજ્ઞા પાળવાનો કેવો ખટકો! આપણે પણ આવો ખટકો રાખી દાસભાવે નાની-મોટી તમામ આજ્ઞાઓ પાળીએ તો મોટા પુરુષ રાજી થઈ જાય.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!