ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
10 of 14
અણિશુદ્ધ ચોખ્ખાં
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ધરમપુરના રાજમાતા કુશળકુંવરબાને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપાર પ્રેમલક્ષણા ભક્તિ હતી. અનેક ચાકરો હોવા છતાં તેઓએ મહારાજ માટે ચોખા પોતાના હાથે ફોલીને તૈયાર કર્યાં હતાં. એક દિવસ મહારાજે આ ચોખામાંથી થોડા દાણા હાથમાં લીધા. મૂઠીમાંથી એક દાણો લઈ મહારાજે સંતોને બતાવ્યો અને પૂછ્યું: ‘સંતો! આ શું છે?’ મહારાજના પ્રશ્નથી સંતોને આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે આ તો રોજના ખોરાકની વસ્તુ છે, જેની નાના-મોટા તમામને જાણ છે, છતાં મહારાજ કેમ પૂછતા હશે? સંતોએ જવાબ આપ્યો: ‘મહારાજ! એ ચોખા છે.’ મહારાજે ફરી પૂછ્યું: ‘સંતો! આ શું છે?’ મહારાજના પુન: પૂછાયેલા પ્રશ્નથી સંતો મૂંઝાયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘મહારાજ! એ ચોખાનો દાણો છે. તેમાં આપ ફરી-ફરી કેમ પૂછો છો?’ આ સાંભળી મહારાજ હસ્યા. મહારાજ પોતાની ગાદી ઉ૫૨થી ઊભા થઈ ગયા. સંતો પાસે આવ્યા અને ચોખાનો દાણો સૌને બતાવ્યો. પછી કહ્યું: ‘સંતો! આ છે તો ચોખાનો દાણો પણ કેવો અણિશુદ્ધ છે?! ઉપર, નીચે કોઈ ઠેકાણે તૂટેલો નથી.’ તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘મહારાજ! રાજમાતાએ હાથે ફોલેલાં છે, એટલે અણિશુદ્ધ હોય જ!’ મહારાજ ફરી હસ્યા. તેમણે કહ્યું: ‘હાથે ફોલવામાં કેટલી મહેનત પડી હશે ત્યારે આ દાણો અણિશુદ્ધ રહ્યો હશે? અમારે સૌને આ ચોખાના દાણા જેવા અણિશુદ્ધ કરવા છે. તેમાં અમને કેટલી મહેનત પડતી હશે તેનો તમને વિચાર થાય છે?’ મહારાજના આ શબ્દો સાંભળી સૌ સંતો વિચારમાં પડી ગયા. પૂર્ણ પુરુષોત્તમનારાયણની આપણા સૌ જીવો પર કેવી અકારણ કરુણા છે!
મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું: “મહારાજ! આપ સત્ય કહો છો. આપ અક્ષરધામના અધિપતિ છો. આપનું ધામ માયાથી પર છે. અમને સૌને તે ધામના અધિકારી બનાવવા, અમારામાં તલમાત્ર કસ૨ ન રહે એવી આપ કાળજી રાખો છો. એ આપની અમારા ઉપરની અપાર કરુણા છે. પરંતુ અમે આપના એ ઊંચા આદર્શને અનુરૂપ થઈ શકીએ એવી પણ આપ કૃપા કરજો.’
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય-૪૫માં કહે છે: ‘જે જે મારા કહેવાયા છો તેમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી.’ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને અણિશુદ્ધ ચોખા જેવા કરવાની જવાબદારી સ્વયં ભગવાને માથે લીધી છે. આજે શ્રીહરિ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ દ્વારા આપણને અણિશુદ્ધ કરવા અપાર ભીડો વેઠી રહ્યા છે. તેઓનો દાખડો સાર્થક કરવા હવે આપણે કમર કસવાની છે!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!