બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
3 views
Content
1 of 16
સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા
Original
3 views
Versions:
Original
સંવત ૧૯૩૯માં સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં જ શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજનો સૌપ્રથમ મેળાપ થયો હતો. ભગતજીનાં પ્રથમ દર્શને જ શાસ્ત્રીજી મહારાજે તેઓને ગુરુ તરીકે સ્વીકારી લીધા.
એક દિવસ ભગતજીએ યજ્ઞપુરુષદાસજીને કહ્યું : “સાધુરામ! સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા કરી છે કે નહિ?” ભગતજીના આ પ્રશ્નથી યજ્ઞપુરુષદાસને આશ્ચર્ય થયું અને હાથ જોડીને કહ્યું, “મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા મેં દૃઢ કરી છે.”
આ સાંભળી ભગતજી મહારાજ હસ્યા અને કહ્યું, “એ તો એકલી નારાયણની નિષ્ઠા થઈ, પણ જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી ‘મૂળ અક્ષર છે’ એવી નિષ્ઠા ન થાય, ત્યાં સુધી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ ન કહેવાય.”
આ સાંભળી વિચક્ષણ બુદ્ધિવાળા યજ્ઞપુરુષદાસજી બોલ્યા: “મારા ગુરુ વિજ્ઞાનાનંદજી બહુ જ અનુભવી, વિદ્વાન અને વળી, શ્રીજીમહારાજના મળેલા સાધુ છે. તેમણે મને આવી વાત કરી નથી તો આપ આ નવીન વાત ક્યાંથી લાવ્યા?”
યજ્ઞપુરુષદાસજીની સ્પષ્ટ વાતથી ભગતજી રાજી થયા અને બોલ્યા: “તમારા ગુરુ પણ આ વાત જાણે છે.”
આ સાંભળી યજ્ઞપુરુષદાસજીએ એક યુક્તિ વિચારી અને ભગતજીને કહ્યું: “જો, આપ મારા ગુરુ પાસે આ વાત કહેવરાવો તો હું માનું.”
બીજે દિવસે સવારે ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને આસને પધાર્યા. યજ્ઞપુરુષદાસજી પ્રથમથી જ આસન નીચે સંતાઈ ગયા હતા. ભગતજીએ વિજ્ઞાનાનંદ સ્વામીને કહ્યું: “સ્વામી! તમારા વખતમાં ગુણાતીત સ્વામી ‘મૂળ અક્ષર’ છે એવી જે વાત થતી હતી તે આજે કહો!”
ભગતજીની આ વાત સાંભળી સ્વામીએ આજુબાજુ જોયું અને પછી ધીરેથી બોલ્યા: “સ્વામી ‘મૂળ અક્ષર’ છે એ વાત મેં ઘણી વાર મહારાજ પાસેથી જ સાંભળી છે. વળી, ગોપાળાનંદ સ્વામી પણ એ વાતનું ઘણું જ પ્રતિપાદન કરતા. તેથી એ વાત મારા જીવમાં છે.”
આ વાત કરી એટલે યજ્ઞપુરુષદાસજી તેમના ઢોલિયા (નીચેથી પોલાણ/જગ્યાવાળો પલંગ/ખાટલો) નીચેથી નીકળ્યા અને સ્વામી તરફ જોઈ તેમને કહ્યું: “આ વાત તમે મને કેમ અત્યાર સુધી ન કહી?”
આથી વિજ્ઞાનાનંદ સ્વામીને તેમને જોઈ આશ્ચર્ય થયું, પણ પછી પોતાના વિશ્વાસુ સેવક જાણી કહ્યું: “હજુ મહારાજનું પુરુષોત્તમપણું જ સત્સંગમાં ઘણાને સમજાતું નથી, ત્યાં સ્વામી ‘અક્ષર’ છે એવી ઘેડ (સમજણ) કેમ બધાંને બેસે? પણ હવે તમે આ વાત સાંભળી છે તો તે સાચી છે અને જીવમાં એ પ્રમાણે સમજી રાખશો.”
પરંતુ હવે કેવળ પોતાના પૂરતું જ આ જ્ઞાન રાખે તો તે શાસ્ત્રીજી મહારાજ શાના! અક્ષરપુરુષોત્તમ જ્ઞાન સાચું છે તો તેનું વિશ્વભરમાં પ્રવર્તન થવું જ જોઈએ, એવો દૃઢ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે કર્યો. અને આ રીતે ઉપાસના પ્રવર્તનનો સુદૃઢ પાયો આ પ્રસંગથી નંખાયો.
એક દિવસ ભગતજીએ યજ્ઞપુરુષદાસજીને કહ્યું : “સાધુરામ! સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા કરી છે કે નહિ?” ભગતજીના આ પ્રશ્નથી યજ્ઞપુરુષદાસને આશ્ચર્ય થયું અને હાથ જોડીને કહ્યું, “મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા મેં દૃઢ કરી છે.”
આ સાંભળી ભગતજી મહારાજ હસ્યા અને કહ્યું, “એ તો એકલી નારાયણની નિષ્ઠા થઈ, પણ જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી ‘મૂળ અક્ષર છે’ એવી નિષ્ઠા ન થાય, ત્યાં સુધી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ ન કહેવાય.”
આ સાંભળી વિચક્ષણ બુદ્ધિવાળા યજ્ઞપુરુષદાસજી બોલ્યા: “મારા ગુરુ વિજ્ઞાનાનંદજી બહુ જ અનુભવી, વિદ્વાન અને વળી, શ્રીજીમહારાજના મળેલા સાધુ છે. તેમણે મને આવી વાત કરી નથી તો આપ આ નવીન વાત ક્યાંથી લાવ્યા?”
યજ્ઞપુરુષદાસજીની સ્પષ્ટ વાતથી ભગતજી રાજી થયા અને બોલ્યા: “તમારા ગુરુ પણ આ વાત જાણે છે.”
આ સાંભળી યજ્ઞપુરુષદાસજીએ એક યુક્તિ વિચારી અને ભગતજીને કહ્યું: “જો, આપ મારા ગુરુ પાસે આ વાત કહેવરાવો તો હું માનું.”
બીજે દિવસે સવારે ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને આસને પધાર્યા. યજ્ઞપુરુષદાસજી પ્રથમથી જ આસન નીચે સંતાઈ ગયા હતા. ભગતજીએ વિજ્ઞાનાનંદ સ્વામીને કહ્યું: “સ્વામી! તમારા વખતમાં ગુણાતીત સ્વામી ‘મૂળ અક્ષર’ છે એવી જે વાત થતી હતી તે આજે કહો!”
ભગતજીની આ વાત સાંભળી સ્વામીએ આજુબાજુ જોયું અને પછી ધીરેથી બોલ્યા: “સ્વામી ‘મૂળ અક્ષર’ છે એ વાત મેં ઘણી વાર મહારાજ પાસેથી જ સાંભળી છે. વળી, ગોપાળાનંદ સ્વામી પણ એ વાતનું ઘણું જ પ્રતિપાદન કરતા. તેથી એ વાત મારા જીવમાં છે.”
આ વાત કરી એટલે યજ્ઞપુરુષદાસજી તેમના ઢોલિયા (નીચેથી પોલાણ/જગ્યાવાળો પલંગ/ખાટલો) નીચેથી નીકળ્યા અને સ્વામી તરફ જોઈ તેમને કહ્યું: “આ વાત તમે મને કેમ અત્યાર સુધી ન કહી?”
આથી વિજ્ઞાનાનંદ સ્વામીને તેમને જોઈ આશ્ચર્ય થયું, પણ પછી પોતાના વિશ્વાસુ સેવક જાણી કહ્યું: “હજુ મહારાજનું પુરુષોત્તમપણું જ સત્સંગમાં ઘણાને સમજાતું નથી, ત્યાં સ્વામી ‘અક્ષર’ છે એવી ઘેડ (સમજણ) કેમ બધાંને બેસે? પણ હવે તમે આ વાત સાંભળી છે તો તે સાચી છે અને જીવમાં એ પ્રમાણે સમજી રાખશો.”
પરંતુ હવે કેવળ પોતાના પૂરતું જ આ જ્ઞાન રાખે તો તે શાસ્ત્રીજી મહારાજ શાના! અક્ષરપુરુષોત્તમ જ્ઞાન સાચું છે તો તેનું વિશ્વભરમાં પ્રવર્તન થવું જ જોઈએ, એવો દૃઢ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે કર્યો. અને આ રીતે ઉપાસના પ્રવર્તનનો સુદૃઢ પાયો આ પ્રસંગથી નંખાયો.
0 comments
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!