jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

11 of 16

‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

ગુજરાતી સાહિત્યના સાક્ષર, સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વરતાલ કમિટીના સભ્ય શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના ગુણાનુરાગી હતા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વરતાલ હતા ત્યારે દોલતરામભાઈ તેઓની વિદ્વત્તા અને સાધુતાથી આકર્ષાયા હતા. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી છૂટા પડ્યા ત્યારે દોલતરામભાઈને મનમાં પ્રશ્ન રહી ગયો હતો કે, ‘સ્વામીશ્રી શા માટે વરતાલથી બહાર નીકળ્યા હશે?’ પરંતુ તેઓને વિશ્વાસ તો હતો કે, ‘સ્વામીશ્રી સિદ્ધાંત વિરુદ્ધ તો કોઈ કાર્ય કરે નહિ.’

સંવત ૧૯૭૨માં શાસ્ત્રીજી મહારાજ નડિયાદ પધાર્યા હતા. વર્ષોથી પોતાના મનમાં રહેલી દ્વિધાના સમાધાન માટે દોલતરામભાઈએ શાસ્ત્રીજી મહારાજને પોતાના ઘરે આમંત્ર્યા. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી નીકળ્યા એના ૧૦ વર્ષ પછી દોલતરામભાઈને તેઓનાં દર્શન થયા, એટલે તેઓ આનંદિત થઈ ગયા.

દોલતરામભાઈને હજુ મનમાં એવું રહ્યા કરતું કે, ‘સ્વામીશ્રી વરતાલ સાથે ભેગા થાય.’ એટલે તેઓએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, “સ્વામી! આપને ભેગા થવાનો વિચાર છે?”

શાસ્ત્રીજી મહારાજે વિનમ્રતાપૂર્વક પણ દૃઢતાથી કહ્યું: “અમારે તો ભેગા થવાનો વિચાર છે. પણ ગ.મ.૨૧મું વચનામૃત વરતાલવાળા સ્વીકારે તો ભેગા થવામાં અમારે વાંધો નથી.”

દોલતરામભાઈએ જિજ્ઞાસાથી કહ્યું: “સ્વામીજી! હું જાણું છું કે આપ સિદ્ધાંત સિવાય બહાર પડો જ નહિ. માટે આપ મને ગ.મ.૨૧ની વાત અને આપનો સિદ્ધાંત સમજાવો.”

દોલતરામભાઈની શુદ્ધ મુમુક્ષુતા જોઈ શાસ્ત્રીજી મહારાજે ગ.મ.૨૧ના આધારે શાસ્ત્રોના રહસ્યરૂપ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત તેઓને સમજાવ્યો. ‘પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય સમજાય ત્યારે જ કલ્યાણનો મુદ્દો હાથ આવો કહેવાય.’ એમ કહી મહારાજના પુરુષોત્તમપણાની અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે તે સંબંધી વાતો વચનામૃત અને ઐતિહાસિક પ્રસંગોના આધારે શાસ્ત્રીજી મહારાજે સમજાવી. અને અંતમાં કહ્યું: “શ્રીજીમહારાજના આ સિદ્ધાંત અનુસાર જ, તેઓના જ સંકલ્પથી બોચાસણમાં અમે મંદિર રચ્યું છે અને તેમાં મધ્ય મંદિરમાં પુરુષોત્તમ શ્રીજીમહારાજની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે.”

શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક અને પ્રમાણો સહિત વાત કરવાની શૈલીથી દોલતરામભાઈ મંત્રમુગ્ધ (પ્રભાવિત) થઈ ગયા. ‘સ્વામીએ સહિત નારાયણની નિષ્ઠા થાય એ જ સાચી સ્વામિનારાયણની નિષ્ઠા’ એ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની દૃઢતા તેઓને થઈ ગઈ.

અહોભાવથી તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું: “સ્વામી! આ તો જે કાર્ય કરવા માટે મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે, તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે.”

આ રીતે એક સાક્ષરના હૃદયમાં પણ અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી. એવો અદ્ભુત પ્રતાપ હતો શાસ્ત્રીજી મહારાજનો!
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics