બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
7 of 16
ઉપાસના પ્રવર્તનની ધગશ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
પીજના જેઠાભાઈ વડોદરા કલાભવનમાં અભ્યાસ કરતા હતા. તે સમયે શાસ્ત્રીજી મહારાજ વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા. ગોવિંદભાઈ માસ્તર, ઉલ્લાસરામભાઈ વગેરેના સમાગમથી જેઠાભાઈને ભગતજી પ્રત્યે હેત થયું હતું. તેથી તેઓ મંદિરે અવારનવાર આવવા લાગ્યા. અહીં તેઓને શાસ્ત્રીજી મહારાજનો સમાગમ થયો. શાસ્ત્રીજી મહારાજને જેઠાભાઈમાં એક ઉત્તમ મુમુક્ષુ દેખાયા.
એક દિવસ સાંજે ઠાકોરજી જાગ્યા પછી શાસ્ત્રીજી મહારાજ અને જેઠાભાઈ મળ્યા. થોડી પ્રદક્ષિણા કરી સાંજે ૬ વાગે પ્રદક્ષિણામાં જ બંને બેઠા. શાસ્ત્રીજી મહારાજ જેઠાભાઈને અક્ષરપુરુષોત્તમની વાતો કરવા લાગ્યા.
શાસ્ત્રીજી મહારાજ વાતો કરવામાં મશગુલ થઈ ગયા અને જેઠાભાઈ વાતો સાંભળવામાં! ક્યારે સંધ્યા આરતી થઈ, શયન આરતી થઈ અને રાત્રિની નીરવ શાંતિ પથરાઈ ગઈ તેની તેઓને ખબર પડી નહિ. જ્યારે ટાવરમાં સવારના ચારના ટકોરા વાગ્યા ત્યારે બંનેની જાણે સમાધિ તૂટી. સતત ૧૦ કલાક સુધી શાસ્ત્રીજી મહારાજે જેઠાભાઈને વાતો કરી!
વર્ષો પછી આ પ્રસંગને યાદ કરતા જેઠાભાઈએ એક પત્રમાં લખ્યું હતું: “શું સ્વામીનો વાતો કરવાનો ઉમંગ! મને પણ ભગતજી મહારાજનો નવો પ્રસંગ થયેલો. સ્વામીશ્રીએ ૧૦ કલાક લાગટ વાતો કરી. પછી અમારે હેત થયું. ભગતજી મહારાજ પાસે ચાર વખત મહુવે જઈને સમાગમ કર્યો ને મોટાપુરુષની દૃષ્ટિ થઈ ગઈ.”
શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક વાતોથી જેઠાભાઈને અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા દૃઢ થઈ ગઈ. હજુ ભગતજીનાં દર્શન થયા ન હતા, છતાં ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે તેવી પ્રતીતિ આવી ગઈ. અને પછી પોતાનું સમગ્ર જીવન અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે સમર્પિત કરી દીધું. દીક્ષા લઈ પીજના જેઠાભાઈ સ્વામી નિર્ગુણદાસ બન્યા.
શાસ્ત્રીજી મહારાજ કહેતા: “સત્સંગમાં ૧૪ આની સત્સંગ નિર્ગુણ સ્વામીએ પ્રવર્તાવ્યો છે.” આવા શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની સેનાના સેનાપતિ નિર્ગુણદાસ સ્વામીને તૈયાર કરનાર હતા - શાસ્ત્રીજી મહારાજ.
‘પોતાના સંગમાં આવનારને કેમ કરીને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા દૃઢ કરાવું’ એવી ધગશ હંમેશા શાસ્ત્રીજી મહારાજને રહેતી. તે માટે તેઓએ નથી જોયો સમય કે નથી જોયો પોતાનો દેહ! આપણે પણ એ જ શાસ્ત્રીજી મહારાજના પુત્રો છીએ. આપણે પણ આ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ. શાસ્ત્રીજી મહારાજની જેમ સમય, સંજોગો જોયા વગર, ભીડાને ગણકાર્યા વગર, ઉત્સાહથી આપણા સંગમાં આવનારને સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતની વાત કરીએ તો ગુરુહરિનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે.
એક દિવસ સાંજે ઠાકોરજી જાગ્યા પછી શાસ્ત્રીજી મહારાજ અને જેઠાભાઈ મળ્યા. થોડી પ્રદક્ષિણા કરી સાંજે ૬ વાગે પ્રદક્ષિણામાં જ બંને બેઠા. શાસ્ત્રીજી મહારાજ જેઠાભાઈને અક્ષરપુરુષોત્તમની વાતો કરવા લાગ્યા.
શાસ્ત્રીજી મહારાજ વાતો કરવામાં મશગુલ થઈ ગયા અને જેઠાભાઈ વાતો સાંભળવામાં! ક્યારે સંધ્યા આરતી થઈ, શયન આરતી થઈ અને રાત્રિની નીરવ શાંતિ પથરાઈ ગઈ તેની તેઓને ખબર પડી નહિ. જ્યારે ટાવરમાં સવારના ચારના ટકોરા વાગ્યા ત્યારે બંનેની જાણે સમાધિ તૂટી. સતત ૧૦ કલાક સુધી શાસ્ત્રીજી મહારાજે જેઠાભાઈને વાતો કરી!
વર્ષો પછી આ પ્રસંગને યાદ કરતા જેઠાભાઈએ એક પત્રમાં લખ્યું હતું: “શું સ્વામીનો વાતો કરવાનો ઉમંગ! મને પણ ભગતજી મહારાજનો નવો પ્રસંગ થયેલો. સ્વામીશ્રીએ ૧૦ કલાક લાગટ વાતો કરી. પછી અમારે હેત થયું. ભગતજી મહારાજ પાસે ચાર વખત મહુવે જઈને સમાગમ કર્યો ને મોટાપુરુષની દૃષ્ટિ થઈ ગઈ.”
શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક વાતોથી જેઠાભાઈને અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા દૃઢ થઈ ગઈ. હજુ ભગતજીનાં દર્શન થયા ન હતા, છતાં ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે તેવી પ્રતીતિ આવી ગઈ. અને પછી પોતાનું સમગ્ર જીવન અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે સમર્પિત કરી દીધું. દીક્ષા લઈ પીજના જેઠાભાઈ સ્વામી નિર્ગુણદાસ બન્યા.
શાસ્ત્રીજી મહારાજ કહેતા: “સત્સંગમાં ૧૪ આની સત્સંગ નિર્ગુણ સ્વામીએ પ્રવર્તાવ્યો છે.” આવા શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની સેનાના સેનાપતિ નિર્ગુણદાસ સ્વામીને તૈયાર કરનાર હતા - શાસ્ત્રીજી મહારાજ.
‘પોતાના સંગમાં આવનારને કેમ કરીને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા દૃઢ કરાવું’ એવી ધગશ હંમેશા શાસ્ત્રીજી મહારાજને રહેતી. તે માટે તેઓએ નથી જોયો સમય કે નથી જોયો પોતાનો દેહ! આપણે પણ એ જ શાસ્ત્રીજી મહારાજના પુત્રો છીએ. આપણે પણ આ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ. શાસ્ત્રીજી મહારાજની જેમ સમય, સંજોગો જોયા વગર, ભીડાને ગણકાર્યા વગર, ઉત્સાહથી આપણા સંગમાં આવનારને સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતની વાત કરીએ તો ગુરુહરિનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!