બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
16 of 16
‘તમે જીવ્યા અમારે કાજ’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીના અથાગ પુરુષાર્થથી ખાનદેશમાં સત્સંગનો વિકાસ નોંધપાત્ર રીતે થઈ રહ્યો હતો. એમાં પણ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીં પધારે તો તો સોનામાં સુગંધ ભળે, અહીંના સત્સંગને સારી એવી પુષ્ટી મળી રહે. તેથી નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને અહીં પધારી ભક્તોને લાભ આપવા પત્રો લખ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ પણ ખાનદેશના ભક્તોને લાભ આપવા માટે ભાંગતી તબિયતે જવા તૈયાર થઈ ગયા હતા.
તે માટે સારંગપુરથી અમદાવાદ ઊતરવા જાળિલારોડ સ્ટેશને સ્વામીશ્રી આવી પહોંચ્યા. એ રાત્રે જમણો પગ ઝલાઈ ગયો(વા થયો હોવાથી) હોવા છતાં ટ્રેન પકડવા સ્વામીશ્રી અહીં પહોંચ્યા, પણ રસ્તે આવતા ગાડામાં બીજો પગ પણ ઝલાઈ ગયો! પોતે એક ડગલું પણ માંડી શક્યા નહીં. સેવક સંતો નારાયણસ્વરૂપદાસજી અને ચતુર્ભુજ સ્વામીએ ઊંચકીને શાસ્ત્રીજી મહારાજને ગાડામાંથી ઉતાર્યા. શાસ્ત્રીજી મહારાજના મનમાં અત્યંત વસવસો થવા લાગ્યો કે ખાનદેશના હરિભક્તોને લાભ આપવા નહીં જઈ શકાય. જાળિલા સ્ટેશનેથી નિર્ગુણદાસ સ્વામીને તેઓએ લખેલા પત્રમાં તેઓની શારીરિક પરિસ્થિતિનું હૃદય દ્રવી જાય તેવું દર્શન થાય છે: ‘...અમો તે તરફ (ખાનદેશ) આવવા સારુ પાંચ જણ તૈયાર થઈને અમદાવાદ થઈને શુક્રવારે અટલાદરા જઈશું. પરંતુ સ્વામી-મહારાજની મરજી શું છે તે કળાતું નથી. આજ રાત્રે જમણા પગે આખામાં વા આવી ગયો છે. છતાં વિચાર ન બદલતાં નીકળ્યા. પરંતુ ડમણિયામાંથી ઊતરતાં બિલકુલ ચલાયું નહીં. બીજા પગે પણ દર્દથી પીડા થતી હતી. ઊંચકીને માસ્તરના ઘરે લાવ્યા છે. હવે ગાડીમાં ઊંચકી બેસાડશે. અમદાવાદ ને ત્યાંથી અટલાદરા તો જઈશું, પણ ત્યાં ગયા પછી જો પગે નહીં મટે ને વધારો થશે તો અવાશે નહીં. ઘણું કરીને સે’જ (થોડું) મટશે, ને પગે ચલાશે, તો જરૂર આવીશ. માટે અકસ્માત થયે નહીં અવાય, તો રાજી રહેશો. આસાભાઈ વિગેરે આવસે, તો મોકલીશું. એ જ, મટશે તો અમો પાંચ જણા તો જરૂર આવીશું...’
‘વિચાર ન બદલતાં નીકળ્યા.’ આ વાક્યમાં તેઓના અચળ નિર્ણયની દૃઢતા ઝબકી રહી છે. ‘સહેજ મટશે, ને પગે ચલાશે, તો જરૂર આવીશ’ આ શબ્દોમાં એક એક હરિભક્તોને રાજી કરી લેવાની કેવી અદમ્ય ઝંખના છે. બંને પગે વા છે, એક ડગલું મંડાતું નથી છતાં શાસ્ત્રીજી મહારાજનું વિચરણ અવિરત ચાલુ છે. સત્પુરુષોએ આપણને સુખી કરવા માટે પોતાના દેહને વાટી નાંખ્યો છે. એટલે જ તેઓનું ઋણ ચૂકવવાની ભાવનાથી સૌ ભક્તોનું અંતર ગાઈ ઉઠે છે: ‘તમે જીવ્યા અમારે કાજ, અમે જીવશું તમારે કાજ, વ્હાલા શાસ્ત્રીજી મહારાજ...’
તે માટે સારંગપુરથી અમદાવાદ ઊતરવા જાળિલારોડ સ્ટેશને સ્વામીશ્રી આવી પહોંચ્યા. એ રાત્રે જમણો પગ ઝલાઈ ગયો(વા થયો હોવાથી) હોવા છતાં ટ્રેન પકડવા સ્વામીશ્રી અહીં પહોંચ્યા, પણ રસ્તે આવતા ગાડામાં બીજો પગ પણ ઝલાઈ ગયો! પોતે એક ડગલું પણ માંડી શક્યા નહીં. સેવક સંતો નારાયણસ્વરૂપદાસજી અને ચતુર્ભુજ સ્વામીએ ઊંચકીને શાસ્ત્રીજી મહારાજને ગાડામાંથી ઉતાર્યા. શાસ્ત્રીજી મહારાજના મનમાં અત્યંત વસવસો થવા લાગ્યો કે ખાનદેશના હરિભક્તોને લાભ આપવા નહીં જઈ શકાય. જાળિલા સ્ટેશનેથી નિર્ગુણદાસ સ્વામીને તેઓએ લખેલા પત્રમાં તેઓની શારીરિક પરિસ્થિતિનું હૃદય દ્રવી જાય તેવું દર્શન થાય છે: ‘...અમો તે તરફ (ખાનદેશ) આવવા સારુ પાંચ જણ તૈયાર થઈને અમદાવાદ થઈને શુક્રવારે અટલાદરા જઈશું. પરંતુ સ્વામી-મહારાજની મરજી શું છે તે કળાતું નથી. આજ રાત્રે જમણા પગે આખામાં વા આવી ગયો છે. છતાં વિચાર ન બદલતાં નીકળ્યા. પરંતુ ડમણિયામાંથી ઊતરતાં બિલકુલ ચલાયું નહીં. બીજા પગે પણ દર્દથી પીડા થતી હતી. ઊંચકીને માસ્તરના ઘરે લાવ્યા છે. હવે ગાડીમાં ઊંચકી બેસાડશે. અમદાવાદ ને ત્યાંથી અટલાદરા તો જઈશું, પણ ત્યાં ગયા પછી જો પગે નહીં મટે ને વધારો થશે તો અવાશે નહીં. ઘણું કરીને સે’જ (થોડું) મટશે, ને પગે ચલાશે, તો જરૂર આવીશ. માટે અકસ્માત થયે નહીં અવાય, તો રાજી રહેશો. આસાભાઈ વિગેરે આવસે, તો મોકલીશું. એ જ, મટશે તો અમો પાંચ જણા તો જરૂર આવીશું...’
‘વિચાર ન બદલતાં નીકળ્યા.’ આ વાક્યમાં તેઓના અચળ નિર્ણયની દૃઢતા ઝબકી રહી છે. ‘સહેજ મટશે, ને પગે ચલાશે, તો જરૂર આવીશ’ આ શબ્દોમાં એક એક હરિભક્તોને રાજી કરી લેવાની કેવી અદમ્ય ઝંખના છે. બંને પગે વા છે, એક ડગલું મંડાતું નથી છતાં શાસ્ત્રીજી મહારાજનું વિચરણ અવિરત ચાલુ છે. સત્પુરુષોએ આપણને સુખી કરવા માટે પોતાના દેહને વાટી નાંખ્યો છે. એટલે જ તેઓનું ઋણ ચૂકવવાની ભાવનાથી સૌ ભક્તોનું અંતર ગાઈ ઉઠે છે: ‘તમે જીવ્યા અમારે કાજ, અમે જીવશું તમારે કાજ, વ્હાલા શાસ્ત્રીજી મહારાજ...’
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!