બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
5 of 16
‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ભગવાન સ્વામિનારાયણ વરતાલ પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહે છે કે, “(જેમ) ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે.” એટલે જ ગુણાતીત સત્પુરુષને ચમકનો પર્વત કહે છે. તેઓનો દિવ્ય પ્રભાવ જ એવો હોય છે કે મુમુક્ષુઓ સ્વાભાવિક રીતે તેઓ તરફ ખેંચાય.
શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પણ વરતાલથી વિચરણ માટે જે સ્થાનમાં જતાં ત્યાં ભક્તો-ભાવિકો ભેગા થઈ જતાં. સ્વામીશ્રીનો આ વધતો પ્રતાપ દ્વેષીઓને અસહ્ય થઈ ગયો હતો. તેથી તેઓ સત્સંગમાં ઉપાધિ કરતા. આ દ્વેષાગ્નિને ઠારવા એક વાર કોઠારી ગોરધનભાઈએ યજ્ઞપુરુષદાસજીને ખાનગીમાં બોલાવી જણાવ્યું કે, ‘તમો જ્યાં જ્યાં જાઓ છો ત્યાં મોટા સમૈયા-ઉત્સવ થાય છે અને લોકો તમારામાં ઘણા જ તણાય છે. તેથી ત્યાગીવર્ગને ઘણો જ રાગદ્વેષ થયો છે અને તમારો પ્રતાપ સહન થતો નથી. માટે ત્યાગીવર્ગ તરફથી તમને ઉપાધિ ઘણી જ થશે એમ મને લાગે છે. તો તમારે સૌનું મળતું રાખીને, ઉપદેશ દેવાનું ઓછું કરવું એવી મારી ભલામણ છે.’ કોઠારીનાં આ હિતનાં વચન યજ્ઞપુરુષદાસજીએ સ્વસ્થતાપૂર્વક સાંભળ્યા. સ્વામીશ્રી દૃઢપણે માનતા કે જે પણ કંઈ ઐશ્વર્ય-પ્રતાપ જણાય છે તે તો શ્રીજીમહારાજનું કર્તવ્ય છે. તેથી વિનમ્રતાથી તેઓએ કોઠારીને જવાબ આપ્યો કે, ‘અમારે હરિભક્તોને ઉપદેશ દેવા માટે ગામડે ગામડે ફરી શકાય નહિ, કેમ કે થોડો વખત ગુજરાતમાં ફરવાનું હોય અને પાછું સારંગપુર જવાનું હોય. એટલે એકાદ-બે દિવસ એક સ્થળે ભેગા થઈ કથાવાર્તા, ભજન-સ્મરણનો આનંદ અનુભવીએ છીએ, અને તેમાં લોકો જો તણાય અને ઐશ્વર્ય-પ્રતાપ દેખે તો તે શ્રીજીનું જ કર્તવ્ય છે. તેમ છતાં આપ સર્વને અમારા વચનમાં વિશ્વાસ ન હોય અને અસંતોષ રહેતો હોય તો આવતી સાલનો સમૈયો અને વચનામૃતની કથાની યોજના, હરિભક્તો વરતાલમાં જ કરશે. એટલે આપની શંકા દૂર થશે.’
યજ્ઞપુરુષદાસજીની આવી દિવ્યભાવની વાણી સાંભળી કોઠારીએ કહ્યું: સ્વામી! મને તો કંઈ વહેમ કે શંકા નથી, પરંતુ ભેખધારી કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે, તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે.’ આ શબ્દોમાં ગોરધનભાઈ કોઠારીનો યજ્ઞપુરુષદાસજી પ્રત્યેનો પ્રેમ અને આદર હતા. સ્વામીશ્રીને કોઈ તકલીફ ન પડે તેવી તેઓની અંતરની ઈચ્છા હતી. પરંતુ ઉપાધિથી ગભરાઈને મહિમાની વાતો કરવામાં પાછી પાની કરવી એ આ સિંહપુરુષની પ્રકૃતિ બહાર હતું.
સ્વામીશ્રીએ તેઓને જણાવ્યું: “આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’ એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે તેમ જાણી, આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું, પણ મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી.
વળી મહારાજે તો કહ્યું છે: ‘મને ભગવાન મળ્યા છે, તો જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈ થોડી ઘણી ઉપાધિ રહે તોપણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં.’
માટે આપણે તો શ્રીજીની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં ઉપાધિથી બીવું નહીં.” સ્વામીશ્રીના શબ્દે-શબ્દે મહારાજના કર્તાપણા પ્રત્યેની તેઓની અડગ શ્રદ્ધાના દર્શન થતાં હતાં, જે સાંભળી કોઠારી ગોરધનભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની ધીરજ અને નિષ્ઠાને મનોમન વંદી જ રહ્યા.
જીવનમાં સ્થિર રહેવા માટે ‘કર્તાપણાની નિષ્ઠા’ના આ વચનો શિલાલેખ સમાન છે. સંસાર-વ્યવહાર હોય કે સેવાપ્રવૃત્તિ, આ વચનોને નજર સમક્ષ રાખીશું તો વિઘ્નોના વાવાઝોડા વચ્ચે આપણે પણ ચટ્ટાન જેવા અડગ રહી શકીશું.
શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પણ વરતાલથી વિચરણ માટે જે સ્થાનમાં જતાં ત્યાં ભક્તો-ભાવિકો ભેગા થઈ જતાં. સ્વામીશ્રીનો આ વધતો પ્રતાપ દ્વેષીઓને અસહ્ય થઈ ગયો હતો. તેથી તેઓ સત્સંગમાં ઉપાધિ કરતા. આ દ્વેષાગ્નિને ઠારવા એક વાર કોઠારી ગોરધનભાઈએ યજ્ઞપુરુષદાસજીને ખાનગીમાં બોલાવી જણાવ્યું કે, ‘તમો જ્યાં જ્યાં જાઓ છો ત્યાં મોટા સમૈયા-ઉત્સવ થાય છે અને લોકો તમારામાં ઘણા જ તણાય છે. તેથી ત્યાગીવર્ગને ઘણો જ રાગદ્વેષ થયો છે અને તમારો પ્રતાપ સહન થતો નથી. માટે ત્યાગીવર્ગ તરફથી તમને ઉપાધિ ઘણી જ થશે એમ મને લાગે છે. તો તમારે સૌનું મળતું રાખીને, ઉપદેશ દેવાનું ઓછું કરવું એવી મારી ભલામણ છે.’ કોઠારીનાં આ હિતનાં વચન યજ્ઞપુરુષદાસજીએ સ્વસ્થતાપૂર્વક સાંભળ્યા. સ્વામીશ્રી દૃઢપણે માનતા કે જે પણ કંઈ ઐશ્વર્ય-પ્રતાપ જણાય છે તે તો શ્રીજીમહારાજનું કર્તવ્ય છે. તેથી વિનમ્રતાથી તેઓએ કોઠારીને જવાબ આપ્યો કે, ‘અમારે હરિભક્તોને ઉપદેશ દેવા માટે ગામડે ગામડે ફરી શકાય નહિ, કેમ કે થોડો વખત ગુજરાતમાં ફરવાનું હોય અને પાછું સારંગપુર જવાનું હોય. એટલે એકાદ-બે દિવસ એક સ્થળે ભેગા થઈ કથાવાર્તા, ભજન-સ્મરણનો આનંદ અનુભવીએ છીએ, અને તેમાં લોકો જો તણાય અને ઐશ્વર્ય-પ્રતાપ દેખે તો તે શ્રીજીનું જ કર્તવ્ય છે. તેમ છતાં આપ સર્વને અમારા વચનમાં વિશ્વાસ ન હોય અને અસંતોષ રહેતો હોય તો આવતી સાલનો સમૈયો અને વચનામૃતની કથાની યોજના, હરિભક્તો વરતાલમાં જ કરશે. એટલે આપની શંકા દૂર થશે.’
યજ્ઞપુરુષદાસજીની આવી દિવ્યભાવની વાણી સાંભળી કોઠારીએ કહ્યું: સ્વામી! મને તો કંઈ વહેમ કે શંકા નથી, પરંતુ ભેખધારી કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે, તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે.’ આ શબ્દોમાં ગોરધનભાઈ કોઠારીનો યજ્ઞપુરુષદાસજી પ્રત્યેનો પ્રેમ અને આદર હતા. સ્વામીશ્રીને કોઈ તકલીફ ન પડે તેવી તેઓની અંતરની ઈચ્છા હતી. પરંતુ ઉપાધિથી ગભરાઈને મહિમાની વાતો કરવામાં પાછી પાની કરવી એ આ સિંહપુરુષની પ્રકૃતિ બહાર હતું.
સ્વામીશ્રીએ તેઓને જણાવ્યું: “આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’ એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે તેમ જાણી, આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું, પણ મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી.
વળી મહારાજે તો કહ્યું છે: ‘મને ભગવાન મળ્યા છે, તો જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈ થોડી ઘણી ઉપાધિ રહે તોપણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં.’
માટે આપણે તો શ્રીજીની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં ઉપાધિથી બીવું નહીં.” સ્વામીશ્રીના શબ્દે-શબ્દે મહારાજના કર્તાપણા પ્રત્યેની તેઓની અડગ શ્રદ્ધાના દર્શન થતાં હતાં, જે સાંભળી કોઠારી ગોરધનભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની ધીરજ અને નિષ્ઠાને મનોમન વંદી જ રહ્યા.
જીવનમાં સ્થિર રહેવા માટે ‘કર્તાપણાની નિષ્ઠા’ના આ વચનો શિલાલેખ સમાન છે. સંસાર-વ્યવહાર હોય કે સેવાપ્રવૃત્તિ, આ વચનોને નજર સમક્ષ રાખીશું તો વિઘ્નોના વાવાઝોડા વચ્ચે આપણે પણ ચટ્ટાન જેવા અડગ રહી શકીશું.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!