jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

અપેક્ષા રહિતનો સત્સંગઅનન્ય સમર્પણજેને વ્યવહારે સુખી રહેવું હોયભગવાન અને સંતને અર્થે શું ન થાયઉત્તમ સમજણઆ અમારા જતિ આવ્યામહારાજને કોની સાથે બને?શિર સાટે સત્સંગસેવાનું વ્યસનભક્તનો સુહૃદ - મારો પ્રાણભક્તરાજ શિવલાલ શેઠભગતજીમય સ્વામી વિજ્ઞાનદાસજીદિવ્યભાવનો વિરલ દાખલોબ્રહ્માંડ તૂટે, પણ દોરડું નહિઆ ટાણું કેમ ચૂકાય?આફ્રિકા સત્સંગના જ્યોતિર્ધર - મગનભાઈસંપ્રદાયના વ્યાસ

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /ભક્તરત્નો

ભક્તરત્નો

42 views

Content

2 of 17

અનન્ય સમર્પણ

Original
1 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

શ્રીજીમહારાજની ભક્તમાળમાં સુમેરૂ સમાન ભક્તરાજ એટલે દાદાખાચર. શ્રીજીમહારાજ સાથે અનન્ય પ્રીતિથી જોડાયેલા દાદાખાચર હંમેશા મહારાજની પ્રત્યેક આજ્ઞા પાળવામાં તત્પર રહેતા. મહારાજ એમને ઘણીવાર કપરી કસોટીમાંથી પસાર કરતા, પરંતુ દાદાખાચર એ પ્રત્યેક કસોટીમાંથી સારધાર પાર ઉતરતા. અને એટલે જ મહારાજ સૌને કહેતા, “દાદો તે દાદો. દાદો તો મારું સર્વસ્વ છે. તેના વગર હું રહી શકતો નથી.”

એક વાર મહારાજે દાદાખાચરને બોલાવીને કહ્યું: “દાદા! આ ગરાસ તમારી બહેનોને લખી દ્યો.” મહારાજની આજ્ઞા પાળવામાં તત્પર દાદાખાચરે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તરત જ તમામ ગરાસ બહેનોને લખી આપ્યો. મહારાજે દાદાને કહ્યું: “તમારો હવે અહીં રહેવાનો હક નથી. રહેવું હોય તો નોકર થઈને રહો.” દાદાખાચર પોતાના જ ઘરમાં નોકર થઈને રહેવા લાગ્યા!

એક વાર સભામાં મહારાજે જાહેરમાં દાદાખાચરને કહ્યું: “તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. હાલ ને હાલ જતા રહો.” આ સાંભળી સભામાં બેઠેલા ઘણાને મનમાં દ્વિધા થઈ કે 'આવા ઉત્કૃષ્ટ ભક્તરાજ સાથે મહારાજ આમ કેમ કરતા હશે?' પરંતુ દાદાખાચરને આવો કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો નહિ. એક પણ શબ્દ બોલ્યા વિના તેઓ મહારાજના ચરણસ્પર્શ કરી પત્ની જશુબા અને પુત્ર બાવાખાચરને લઈને નીકળી ગયા. બાવાખાચર ભૂખ લાગવાથી રડતો હતો. એટલે તેને છાનો રાખવા દાદા કોઠારમાં ચણા લેવા ગયા. તો હરજી ઠક્કરે ચણા આપવાની ના પાડી કે 'મહારાજની આજ્ઞા નથી.' દાદાખાચર કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા.

દાદાખાચર ગામને પાદર પહોંચ્યા હશે ત્યાં દરબારમાં મહારાજ અચાનક રડવા લાગ્યા અને કહ્યું, “દાદાને કોઈ પાછો બોલાવો.” દાદાખાચર પાછા આવ્યા એટલે મહારાજ તેમને ભેટી પડ્યા. અને પછી બહેનો પાસેથી ગરાસ લઈ પાછો દાદાને આપ્યો.

આવી કઠણ પરીક્ષા કરી તો પણ દાદાખાચર ડગ્યા નથી. કઠપૂતળીની જેમ મહારાજે દાદાને નચાવ્યા, તો પણ મહારાજ પ્રત્યે સંશય થયો નથી.

મહારાજના કહેવાથી દાદાખાચરે પોતાનો સમગ્ર દરબાર સંતો-હરિભક્તોને રહેવા માટે સમર્પિત કરી દીધો હતો. મહારાજ વારંવાર ગઢડામાં સમૈયા-ઉત્સવ કરતા અને તેમાં હજારો ભક્તો આવે તેમની સાર-સંભાળ, રહેવા-જમવાની વ્યવસ્થામાં ઘણો ખર્ચ થતો. દાદાખાચરના ગરાસનો પ્રશ્ન ભાવનગરની કચેરીમાં ચાલતો હતો. તેથી આર્થિક પરિસ્થિતિ પણ કથળેલી હતી. છતાં ક્યારેય દાદાખાચર મહારાજ માટે, ભક્તો માટે ખર્ચ કરવામાં પાછું વળીને જોતા નહીં. એટલું જ નહીં ક્યારેય મહારાજને પોતાની કથળેલી સ્થિતિ વિષે ફરિયાદ કરી નથી. તેઓને સંશય પણ થયો નથી કે મહારાજ તો સાક્ષાત્ ભગવાન છે તો મારું દુ:ખ કેમ ટાળતા નહીં હોય?

મહારાજ દાદાના દરબારને પોતાનું ઘર માનીને ૨૮ વર્ષ સુધી રહ્યા. તેનું કારણ જણાવતાં મહારાજે કહ્યું હતું, “આ દાદાખાચરને અમે દિવસમાં પાંચ ખાસડાં મારીએ તો પણ ખમે છે. અમે એને એક ઠેકાણે રહેવા દેતા નથી અને અત્યાર સુધી છપ્પન વાર ઉતારો ફેરવાવ્યો હશે, પરંતુ દાદો મનમાં ‘મહારાજ આમ શીદ કરતા હશે!’ એમ ક્યારેય સંકલ્પ કરતા નથી. આ કારણથી હું અહીં રહ્યો છું.”

દાદાખાચર જેવો સમર્પણભાવ, ભગવાનના સ્વરૂપમાં દૃઢ નિષ્ઠા, નિ:સંશયપણું અને દિવ્યભાવ હોય તો ગમે તેવા સુખ-દુ:ખની પરિસ્થિતિઓમાં સત્સંગમાંથી આપણો પગ પાછો ના હઠે અને શ્રીજીમહારાજ આપણા હૃદયને પણ પોતાનું ઘર માનીને અખંડ આપણી સાથે રહે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics