jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

અપેક્ષા રહિતનો સત્સંગઅનન્ય સમર્પણજેને વ્યવહારે સુખી રહેવું હોયભગવાન અને સંતને અર્થે શું ન થાયઉત્તમ સમજણઆ અમારા જતિ આવ્યામહારાજને કોની સાથે બને?શિર સાટે સત્સંગસેવાનું વ્યસનભક્તનો સુહૃદ - મારો પ્રાણભક્તરાજ શિવલાલ શેઠભગતજીમય સ્વામી વિજ્ઞાનદાસજીદિવ્યભાવનો વિરલ દાખલોબ્રહ્માંડ તૂટે, પણ દોરડું નહિઆ ટાણું કેમ ચૂકાય?આફ્રિકા સત્સંગના જ્યોતિર્ધર - મગનભાઈસંપ્રદાયના વ્યાસ

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /ભક્તરત્નો

ભક્તરત્નો

42 views

Content

17 of 17

સંપ્રદાયના વ્યાસ

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

હર્ષદભાઈ દવે એટલે સંપ્રદાયના અમર ઈતિહાસની ગાથા લખનાર, સંપ્રદાયના વ્યાસ, જેમનો જીવનમંત્ર હતો ‘અક્ષરપુરુષોત્તમની ઉપાસના દૃઢ કરો અને કરાવો.’ પોતાના જીવનકાળ દરમ્યાન ૬,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોના જીવનચરિત્રો લખી તેઓએ સંપ્રદાયની મહાન સેવા કરી છે. આ ઉપરાંત પણ અન્ય સાંપ્રદાયિક સાહિત્યનું લેખન તેઓની કલમે થયું છે. પોતાની વિદ્વત્તા અને સાક્ષરતાના જોરે હજારો રૂપિયા કમાઈ શકનાર હર્ષદકાકાએ કોઈ અપેક્ષા વગર જીવનના છેલ્લા શ્વાસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા કરી. યોગીજી મહારાજ તેમના માટે કહેતા કે, ‘હર્ષદભાઈના તો પગ ધોઈને પી જઈએ તો પણ ઓછું છે.’ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ - ત્રણેય ગુણાતીત ગુરુઓનો અંતરનો રાજીપો તેઓએ પ્રાપ્ત કર્યો હતો. તેનું કારણ હતું સેવાની સાથે તેઓના જીવનમાં જોવા મળતી નિષ્કામ ધર્મની દૃઢતા. સત્પુરુષે સ્વયં તેઓને આ બાબતે અત્યંત જાગૃત રહેવા જણાવ્યું હતું.

એક વખત યોગીજી મહારાજ ગોંડલ મંદિરના જૂના સભામંડપમાં કથાવાર્તા કરતા હતા. સામેથી હર્ષદકાકા સભામાં પ્રવેશ કરવા જતા હતા, ત્યાં એક મહિલા ભક્તે તેઓને રોક્યા. તે બહેન ડબ્બામાં ચોખ્ખો નાસ્તો બનાવીને લાવ્યા હતા. તેમણે હર્ષદકાકાને વિનંતી કરી કે આ ડબ્બો રસોડામાં ખાલી કરી મને ખાલી ડબ્બો પાછો આપી જાવ. હર્ષદકાકાએ એ મુજબ કરી ખાલી ડબ્બો એ મહિલાને પરત કર્યો. આ વાતની યોગીજી મહારાજને ખબર પડી.

સભા પછી જ્યારે કાકા યોગીબાપાને પગે લાગવા આવ્યા ત્યારે બાપાએ તેઓને કહ્યું કે, ‘આજે તમે ડબ્બો લીધો તે બરોબર ન કર્યું.’ હર્ષદકાકાએ કહ્યું કે, ‘બાપા! એમાં નાસ્તો હતો તે રસોડામાં ખાલી કરીને મેં ડબ્બો પાછો આપી દીધો એમાં ભૂલ શું થઈ? યોગીબાપા કહે: ‘ગુરૂ! તમે હાથોહાથ લીધું એ ખોટું કર્યું. તમારે એમ કહેવાય કે ડબ્બો નીચે મૂકો. પછી તમારે લેવાય અને ખાલી કરીને તમે ડબ્બો નીચે મૂકો પછી એ લઈ લે. આપણે હાથોહાથ આપ-લે ન કરાય. ભૂલ થઈ છે તો એક ઉપવાસ કરી લેજો.’

નિષ્કામ ધર્મની દૃઢતા માટે યોગીબાપાનો નાની બાબતમાં પણ કેટલો ખટકો હતો! હર્ષદકાકાની જેમ આપણે પણ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ, તો આપણી પણ જવાબદારી મોટી છે. સત્પુરુષને આપણી પાસે પણ આવા જ ઉચ્ચ પ્રકારના વર્તનની અપેક્ષા છે. જ્યારે નિષ્કામ ધર્મ અણિશુદ્ધ પાળીએ ત્યારે સત્પુરુષના અંતરનો રાજીપો થાય છે. હર્ષદકાકા એ બાબતે ખૂબ જાગૃત હતા.

એક વખત હર્ષદકાકાના ઘેર એક સત્સંગી બહેન આવ્યા. તે જ સમયે તેઓના ધર્મપત્નીને પડોશમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ ઘરના કંઈક કામ માટે બોલાવ્યા. ગણતરીની મિનિટોમાં જ તેઓ આ કામ પતાવીને પાછા ઘેર આવ્યા. હર્ષદકાકા તો પોતાના કામમાં મગ્ન હતા. પણ જેવા તેઓએ પોતાના ધર્મપત્નીને જોયા અને તેમને ખ્યાલ આવ્યો કે થોડા સમય માટે તેઓ ઘરની બહાર જઈને આવ્યા છે, તેઓએ કડક શબ્દોમાં પોતાના પત્નીને કહ્યું કે, ‘ભાન પડે છે કે નહીં, શિક્ષાપત્રીનો ઉપદેશ ખબર નથી? હું ઘરમાં એકલો હતો અને પેલા બહેન ઘરમાં હતા. તમે મને કીધું હોત તો હું ઘરની બહાર નીકળી જાત!’ પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવાની શ્રીજીમહારાજની આજ્ઞા પાળવાનો કેવો ખટકો!

શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે કે, ‘એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે ઉપરથી અમારે કોઈ દિવસ હેત ઓછું થાય નહીં...અને તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ.’ નિષ્કામ ધર્મની આ દૃઢતાને કારણે તેઓ ઉપર સત્પુરુષનો અપાર રાજીપો હતો. સેવાની સાથે નિષ્કામ ધર્મમાં અણિશુદ્ધ રહીશું તો આપણને પણ મહંતસ્વામી મહારાજ અખંડ સાથે અનુભવાશે અને ત્યારે જ આપણને તેઓના અંતરનો રાજીપો પ્રાપ્ત થશે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics