બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
11 of 17
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
વચનામૃત ગઢડા મધ્યના ૧૩મા શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી સ્વરૂપની વાતો કરી છે. તેની પૂર્વભૂમિકા બાંધતાં મહારાજ કહે છે કે, ‘આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ્યપ વધારવા સારુ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારુ કરીએ છીએ.’ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે પણ માયિક દૃષ્ટિના કારણે આપણે તેઓને ઓળખી શકતા નથી અને ભગવાનના સ્વરૂપની યથાર્થ ઓળખાણ વિના ભવબંધનમાંથી મુક્તિ થતી નથી. તેથી જ ભગવાન અને ગુણાતીત સંત જીવો પર કરુણા કરીને પ્રસંગોપાત પોતાના યથાર્થ સ્વરૂપની ઓળખાણ આપે છે.
૮ ઓગસ્ટ ૧૯૯૧ના દિવસે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સંતો સાથે હવાઈમાર્ગે લીલોન્ગવેથી દારેસલામ જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન શુકમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું: ‘બાપા! આપે હમણાં મહિમા ગાવાની વાત કરી, તો આપને કેવા સમજવા?’ ‘પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજીમહારાજ સર્વોપરી સાક્ષાત્ જ છે. રોમેરોમમાં મહારાજ છે. શ્રીજીમહારાજના અખંડ ધારક છે.’ વિમાનની ઘરેરાટીમાં પણ સ્પષ્ટ સંભળાય તેમ સ્વામીશ્રી બોલ્યા. વળી ઉમેર્યું: ‘તમે ગાવ છો ને કે ‘સંત તે સ્વયં હરિ...’ એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત્ મહારાજ જ છે. કોઈ રાગ, દ્વેષ, દોષો છે જ નહીં. નિર્મળ, પવિત્ર અંતઃકરણ છે. મનુષ્યભાવ બતાવે, પણ દિવ્ય જ છે. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દૃઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત, પ્રીત, આત્મબુદ્ધિ નહીં. અહીં જ! આ સર્વોપરી છે. આ સાક્ષાત્ મહારાજ છે. આ દૃઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મનધાર્યું ન થાય. મહિમા રહે. શંકા-કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. બધાને એમ કે ‘અમે અંતર્યામી નથી.’ પણ અમે અંતર્યામી છીએ. તમે દુનિયાને છેડે જઈને જે કરો છો તે હું જાણું છું, દેખું છું.’ સામાન્ય રીતે તો સત્પુરુષને પોતાનું ઐશ્વર્ય-સામર્થ્ય છૂપાવવા પર જ સતત તાન હોય છે, પરંતુ ક્યારેક જ આવી રીતે કૃપા કરીને તેઓ સ્વસ્વરૂપની ઓળખાણ કરાવે છે. સ્વામીશ્રીના મુખેથી રેલાઈ રહેલી સ્વસ્વરૂપની આ વાતો સાંભળતા સૌ કોઈને ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’નું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું.
આ જ સ્વરૂપ આપણને ગુરુહરિ મહંતસ્વામી મહારાજરૂપે પ્રગટ મળ્યું છે. તેઓના સ્વરૂપની આવી દૃઢતા કરી સેવા-ભક્તિ કરીએ તે જ સત્સંગનો સાર છે.
૮ ઓગસ્ટ ૧૯૯૧ના દિવસે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સંતો સાથે હવાઈમાર્ગે લીલોન્ગવેથી દારેસલામ જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન શુકમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું: ‘બાપા! આપે હમણાં મહિમા ગાવાની વાત કરી, તો આપને કેવા સમજવા?’ ‘પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજીમહારાજ સર્વોપરી સાક્ષાત્ જ છે. રોમેરોમમાં મહારાજ છે. શ્રીજીમહારાજના અખંડ ધારક છે.’ વિમાનની ઘરેરાટીમાં પણ સ્પષ્ટ સંભળાય તેમ સ્વામીશ્રી બોલ્યા. વળી ઉમેર્યું: ‘તમે ગાવ છો ને કે ‘સંત તે સ્વયં હરિ...’ એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, જમનારા, સાંભળનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત્ મહારાજ જ છે. કોઈ રાગ, દ્વેષ, દોષો છે જ નહીં. નિર્મળ, પવિત્ર અંતઃકરણ છે. મનુષ્યભાવ બતાવે, પણ દિવ્ય જ છે. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દૃઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત, પ્રીત, આત્મબુદ્ધિ નહીં. અહીં જ! આ સર્વોપરી છે. આ સાક્ષાત્ મહારાજ છે. આ દૃઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મનધાર્યું ન થાય. મહિમા રહે. શંકા-કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. બધાને એમ કે ‘અમે અંતર્યામી નથી.’ પણ અમે અંતર્યામી છીએ. તમે દુનિયાને છેડે જઈને જે કરો છો તે હું જાણું છું, દેખું છું.’ સામાન્ય રીતે તો સત્પુરુષને પોતાનું ઐશ્વર્ય-સામર્થ્ય છૂપાવવા પર જ સતત તાન હોય છે, પરંતુ ક્યારેક જ આવી રીતે કૃપા કરીને તેઓ સ્વસ્વરૂપની ઓળખાણ કરાવે છે. સ્વામીશ્રીના મુખેથી રેલાઈ રહેલી સ્વસ્વરૂપની આ વાતો સાંભળતા સૌ કોઈને ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’નું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું.
આ જ સ્વરૂપ આપણને ગુરુહરિ મહંતસ્વામી મહારાજરૂપે પ્રગટ મળ્યું છે. તેઓના સ્વરૂપની આવી દૃઢતા કરી સેવા-ભક્તિ કરીએ તે જ સત્સંગનો સાર છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!