બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
12 of 17
વિનમ્રતાની મૂર્તિ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સન ૧૯૯૪માં મહેસાણા ખાતે પ્રમુખસ્વામી મહારાજનો ૭૪મો જન્મજયંતી મહોત્સવ હતો. વળી, આ જ દિવસે તેઓએ એક ભવ્ય શિખરબદ્ધ મંદિરની ભેટ મહેસાણાને આપી હતી.
આગલે દિવસે સાંજની સભામાં નારાયણમુનિદાસ સ્વામી, ઋષિરાજદાસ સ્વામી વગેરેએ સ્વામીશ્રી પાસે પહોંચી વાત માંડી કે, ‘આવતીકાલે જન્મજયંતીની સભા બાદ વ્યક્તિગત દર્શન માટે હરિભકતો ચાર હરોળમાં આવે તેમ વિચાર્યું છે.’
હજારો હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા માટે આવવાના હતા, તેથી વ્યક્તિગત દર્શનમાં બને એટલો ઓછો સમય જાય અને સ્વામીશ્રી સમયસર પોતાના ઉતારે પધારે તેવા વિચારથી આ પ્રકારનું આયોજન વ્યવસ્થાપકોએ કર્યું હતું.
પરંતુ સ્વામીશ્રીને આ આયોજન રુચ્યું નહિ. તેઓએ પૂછ્યું, “ચાર વ્યક્તિ એક સાથે કઈ રીતે આવે?”
“કેમ? જેમ બે આવે તેમ ચાર આવે!” સંતોના આ જવાબથી સ્વામીશ્રી મૌન રહ્યા. સ્વામીશ્રીના મુખ ઉપર આ નવા આયોજન પ્રત્યેનો અણગમો સ્પષ્ટ વર્તાતો હતો. કારણ કે તે મુજબ કરવાથી હરિભક્તોને બરાબર મળી ન શકાય તેમ તેઓને લાગતું હતું. તેઓને પોતાના સમયની કે ભોજનની પરવા ન હતી, પરંતુ હરિભક્તો રાજી થાય તે જ મનમાં હતું.
સ્વામીશ્રીની નારાજગી જોઈ પ્રસ્તાવ મૂકનારા સંતો પણ ખિન્ન થઈ ગયા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે, 'આપની રુચિ મુજબ કરીશું.'
પરંતુ સ્વામીશ્રી બોલ્યા, “ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે.’ માટે તમે બધાએ જે વિચાર્યું છે તે બરાબર છે.”
ગુરુ હોવા છતાં શિષ્યની મરજી અનુસાર વર્તનારા પ્રમુખસ્વામી મહારાજની આવી ઉત્કૃષ્ટ સરળતામાં સંતો ભીંજાઈ ગયા. તેઓએ સ્વામીશ્રીની રુચિ અનુસાર બે હરોળમાં જ દર્શનની વ્યવસ્થા ગોઠવી દીધી.
બીજે દિવસે સવારે પોતાના ૭૪મા જન્મદિનના પ્રભાતે નારાયણમુનિદાસ સ્વામીને પૂજાનું પુષ્પ આપતાં સ્વામીશ્રીએ કહ્યું, “આખી રાત મેં વિચાર કર્યો કે તમે બધાએ કેટલુંય વિચારીને આયોજન કર્યું હોય અને હું બદલી નાંખું તે ઠીક નથી. માટે તમે જેમ વિચાર્યું છે તેમ જ રાખજો.”
જે દિવસે હજારો હરિભક્તો પોતાને વધાવવા માટે ઊમટ્યા છે તે દિવસે જ પ્રમુખસ્વામી મહારાજની આ વિનમ્રતા સૌને નતમસ્તક કરી ગઈ.
આગલે દિવસે સાંજની સભામાં નારાયણમુનિદાસ સ્વામી, ઋષિરાજદાસ સ્વામી વગેરેએ સ્વામીશ્રી પાસે પહોંચી વાત માંડી કે, ‘આવતીકાલે જન્મજયંતીની સભા બાદ વ્યક્તિગત દર્શન માટે હરિભકતો ચાર હરોળમાં આવે તેમ વિચાર્યું છે.’
હજારો હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા માટે આવવાના હતા, તેથી વ્યક્તિગત દર્શનમાં બને એટલો ઓછો સમય જાય અને સ્વામીશ્રી સમયસર પોતાના ઉતારે પધારે તેવા વિચારથી આ પ્રકારનું આયોજન વ્યવસ્થાપકોએ કર્યું હતું.
પરંતુ સ્વામીશ્રીને આ આયોજન રુચ્યું નહિ. તેઓએ પૂછ્યું, “ચાર વ્યક્તિ એક સાથે કઈ રીતે આવે?”
“કેમ? જેમ બે આવે તેમ ચાર આવે!” સંતોના આ જવાબથી સ્વામીશ્રી મૌન રહ્યા. સ્વામીશ્રીના મુખ ઉપર આ નવા આયોજન પ્રત્યેનો અણગમો સ્પષ્ટ વર્તાતો હતો. કારણ કે તે મુજબ કરવાથી હરિભક્તોને બરાબર મળી ન શકાય તેમ તેઓને લાગતું હતું. તેઓને પોતાના સમયની કે ભોજનની પરવા ન હતી, પરંતુ હરિભક્તો રાજી થાય તે જ મનમાં હતું.
સ્વામીશ્રીની નારાજગી જોઈ પ્રસ્તાવ મૂકનારા સંતો પણ ખિન્ન થઈ ગયા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે, 'આપની રુચિ મુજબ કરીશું.'
પરંતુ સ્વામીશ્રી બોલ્યા, “ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે.’ માટે તમે બધાએ જે વિચાર્યું છે તે બરાબર છે.”
ગુરુ હોવા છતાં શિષ્યની મરજી અનુસાર વર્તનારા પ્રમુખસ્વામી મહારાજની આવી ઉત્કૃષ્ટ સરળતામાં સંતો ભીંજાઈ ગયા. તેઓએ સ્વામીશ્રીની રુચિ અનુસાર બે હરોળમાં જ દર્શનની વ્યવસ્થા ગોઠવી દીધી.
બીજે દિવસે સવારે પોતાના ૭૪મા જન્મદિનના પ્રભાતે નારાયણમુનિદાસ સ્વામીને પૂજાનું પુષ્પ આપતાં સ્વામીશ્રીએ કહ્યું, “આખી રાત મેં વિચાર કર્યો કે તમે બધાએ કેટલુંય વિચારીને આયોજન કર્યું હોય અને હું બદલી નાંખું તે ઠીક નથી. માટે તમે જેમ વિચાર્યું છે તેમ જ રાખજો.”
જે દિવસે હજારો હરિભક્તો પોતાને વધાવવા માટે ઊમટ્યા છે તે દિવસે જ પ્રમુખસ્વામી મહારાજની આ વિનમ્રતા સૌને નતમસ્તક કરી ગઈ.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!